વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

  • May 07, 2024 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની નવી હવેલી ખાતે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા


દ્વારકામાં શનિવારના રોજ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547 મો પ્રાગટ્ય મહોત્સવ પુ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની વરણાગી સાંજે 5.00 કલાકે કિર્તન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારતા જયાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ ધાર્મિક અવસરે ઓખામંડળ તથા બારાડી પંથકના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહયા હતા. નવી હવેલી ખાતે સવારે 10.00 કલાકથી કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજે ગોમતી ઘાટ પર બિરાજતા મહાપ્રભુજીની બેઠકજી ખાતે વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોને ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application