અમદાવાદમાં પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે. આથી રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.
વિજયભાઈના ઘરે અંતિમદર્શન માટે મંડપ ઉભો કરવામાં આવ્યો છે તેમજ વિજયભાઈનો એક મોટો ફોટો પણ તૈયાર કરવામાં આવ્યો છે. તૈયારીના ભાગરૂપે ભાજપના નેતાઓ આવી રહ્યા છે.
પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
ગાંધીનગર સ્થિત બંગલોની બહાર બે પોલીસ એસ્કોર્ટ વાન ગોઠવાઈ
રાજકોટની પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને સોમવારે પાર્થિવ દેહને લાવવામાં આવશે. ધ્યાન શંકર પ્રગટેશ્વર મંદિર ખાતે રાજકીય સન્માન સાથે મુખ્યમંત્રી તેમજ મંત્રી મંડળના સભ્યો અને પાર્ટીના મુખ્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે અને અંતિમસંસ્કાર પૂર્વે સ્મશાન ખાતે જ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech