નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના સંપૂર્ણ બજેટના લગભગ બે અઠવાડિયા પછી સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક સહિત ૭૦ જરી દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી સામાન્ય લોકો માટે ઘણી બીમારીઓની સારવાર સસ્તી થશે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ની તાજેતરની બેઠકમાં ઘણી આવશ્યક દવાઓના ભાવ ઘટાડવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયે એનપીપીએની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સરકારે સત્તાવાર રીતે સૂચિત કર્યેા હતો. એનપીપીએ દેશમાં વેચાતી આવશ્યક દવાઓના ભાવને નિયંત્રિત કરે છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો વિવિધ રોગોની સારવાર માટે કરે છે. બેઠકમાં ૭૦ દવાઓ અને ૪ વિશેષ દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો.
આવશ્યક દવાઓની કિંમતોમાં ઘટાડો કરવાથી દેશના કરોડો લોકોને સીધો ફાયદો થવાનો છે. કરોડો લોકો વિવિધ રોગોની સારવાર માટે પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિકસ સુધીની દવાઓ ખરીદે છે. સરકારનો આ નિર્ણય ગયા મહિને રજૂ થયેલા બજેટના લગભગ બે સાહ બાદ આવ્યો છે. સરકાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે દવાઓના ભાવને પોષણક્ષમ બનાવવાની દિશામાં પહેલ ચાલુ રાખશે
આ દવાઓ સસ્તી થવા જઈ રહી છે
આ બેઠકમાં એનપીપીએએ ૭૦ દવાઓની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યેા, જેમાં પીડામાં રાહત આપતી દવાઓ એટલે કે પેઇનકિલર્સ, એન્ટિબાયોટિકસ, તાવ, ઇન્ફેકશન, ઝાડા, સ્નાયુમાં દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય અને અન્ય ઘણી બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. આ સિવાય એનપીપીએએ ૪ વિશેષ ફોમ્ર્યુલેશન સાથે દવાઓની કિંમતો ઘટાડવાનો પણ નિર્ણય કર્યેા છે.
ગયા મહિને તેમના ભાવમાં ઘટાડો થયો હતો
અગાઉ જૂન મહિનામાં પણ સરકારે ઘણી જરી દવાઓના ભાવમાં ઘટાડો કર્યેા હતો. એનપીપીએએ જૂનમાં યોજાયેલી તેની ૧૨૪મી બેઠકમાં સામાન્ય રીતે વપરાતી ૫૪ દવાઓ અને ૮ વિશેષ દવાઓની કિંમતોમાં ઘટાડો કર્યેા હતો. ગયા મહિને એન્ટિબાયોટિકસ, મલ્ટી વિટામિન્સ, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેન્સર જેવી બીમારીની સારવારમાં વપરાતી દવાઓ પણ સસ્તી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech