વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. તેઓએ પેરિસથી ઇન્ડિયા એનર્જી વીક 2025ની ઉજવણીને લઈને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 10 વર્ષમાં ભારત 10મીથી પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેમજ સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા પણ 32 ગણી વધી છે. ભારત દેશ દરેક સેક્ટરમાં ઝડપથી વિકસી રહ્યો છે. આગામી બે દાયકા ભારત માટે મહત્ત્વના છે. છેલ્લા 10 વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે, તેને ધ્યાનમાં રાખતાં વિશ્વાસ છે કે, આપણે એનર્જી સેક્ટરમાં ગ્રોથ માટે મૂકેલા લક્ષ્યાંક પહેલાં જ હાંસલ કરી લઈશું. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર એનર્જી ઉત્પન્ન કરનારો દેશ છે. આપણી નોન-ફોસિલ ક્ષમતા ત્રણ ગણી વધી છે. પેરિસ સમજૂતી કરારને પૂર્ણ કરનાર જી-20 દેશોમાં ભારત પહેલો દેશ છે. આજે ભારત 90 ટકા ઇથેનોલનું મિશ્રણ કરી રહ્યું છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે આગામી બે દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી પાંચ વર્ષમાં અનેક માઈલસ્ટોન પાર કરવાના છે. જેમાં એનર્જી સેક્ટરના ઘણા લક્ષ્યાંકો 2030ની સમયમર્યાદા સાથે પૂરા કરવાના છે. 2030 સુધીમાં ભારત 500 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવા માગે છે. ભારતે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય મૂક્યું છે. 2030 સુધીમાં 50 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ છે. ભારતે છેલ્લા 10 વર્ષમાં જે હાંસલ કર્યું છે તેનાથી અમને વિશ્વાસ અપાવ્યો છે કે, અમે આ લક્ષ્યોને સમય મર્યાદા પહેલાં હાંસલ કરી લઈશું.
મોદીએ વધુમાં ઉમેર્યું કે, વિશ્વના દરેક એક્સપર્ટ કહી રહ્યા છે કે, 21મી સદી ભારતની સદી છે. ભારત પોતાનો જ નહીં, પણ વિશ્વના ગ્રોથને પણ વેગ આપી રહ્યો છે. જેમાં આપણા એનર્જી સેક્ટરની ભૂમિકા મહત્ત્વની રહી છે. ભારતની એનર્જી મહત્ત્વાકાંક્ષાઓ પાંચ પિલર પર નિર્ભર છે. પ્રથમ આપણી પાસે રિસોર્સ છે, જે આપણને વેગ આપે છે. બીજું આપણે બ્રિલિયન્ટ માઈન્ડને ઈનોવેશન માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ત્રીજું આપણી પાસે આર્થિક અને રાજકીય સ્થિરતા છે અને ચોથુ ભારત પાસે જિઓગ્રાફિક સ્થિતિ છે. જે એનર્જી ટ્રેડને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. પાંચમું ભારત ગ્લોબલ સસ્ટેનેબિલિટી માટે પ્રતિબદ્ધ છે. જેનાથી ભારતના એનર્જી સેક્ટરમાં નવી સંભાવનાઓ તૈયાર થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech