બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શાળાઓમાં ખાલી પડેલી આચાર્યેાની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એકાએક સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી આચાર સહીતાનો ભગં ન થાય તે માટે ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા મુલતવી રાખીને ચૂંટણી પચં પાસે માર્ગદર્શન માગવામાં આવ્યું હતું.
માધ્યમિક વિભાગના સંયુકત શિક્ષણ નિયામક દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે ચૂંટણી પંચે આ સંદર્ભે જણાવ્યું છે કે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલુ રાખી શકાશે અને નિમણૂકોના હુકમ ૧૬ ફેબ્રુઆરી પછી એટલે કે મતદાનના દિવસ બાદ કરવાની શરતે મંજૂરી આપવામાં આવે છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પછી હવે આચાર્ય ભરતીની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અગાઉ નિયત કરેલ તેમજ ઉમેદવારોના કોલલેટરમાં ફાળવેલ તારીખ અને સમય મુજબ તારીખ ૧૦ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને તારીખ ૧૭ ફેબ્રુઆરી પછી સંબંધિત શાળા મંડળ દ્રારા નિમણૂકના હત્પકમો આપવામાં આવશે.
સંયુકત શિક્ષણ નિયામકે પોતાના આ પરિપત્રમાં જણાવ્યું છે કે તારીખ ૧૦,૧૧,૧૨ અને રોજ ૧૩ના રોજ ઇન્ટરવ્યૂ યથાવત રાખવામાં આવ્યા છે. તારીખ ૧ ફેબ્રુઆરીના અગાઉ રાખેલા ઇન્ટરવ્યૂ હવે ૧૫ ફેબ્રુઆરીએ લેવાશે, તારીખ ૩ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૪ ફેબ્રુઆરીએ, તારીખ ૪ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૭ ફેબ્રુઆરીએ, તારીખ ૫ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૮ ફેબ્રુઆરી, તારીખ ૬ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૧૯ ફેબ્રુઆરીએ, તારીખ સાત ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૦ ફેબ્રુઆરી અને તારીખ ૮ ફેબ્રુઆરીના ઇન્ટરવ્યૂ તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech