છત્તીસગઢમાં ખાનગી વિમાન ક્રેશ, પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ, બચાવ કામગીરી શરૂ
છત્તીસગઢમાં ખાનગી વિમાન ક્રેશ, પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ, બચાવ કામગીરી શરૂ
April 20, 2026 10:53 AM
છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે એક વિમાન દુર્ઘટના ઘટી હતી. આરા હિલ્સમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જશપુરના નારાયણપુર વિસ્તારમાં રતનપહલી જંગલમાં ચાર્ટર્ડ વિમાન ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માત બાદ, પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા.