સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતની જુદી જુદી કોલેજમાં ૩૦ વર્ષ કે તેથી વધુ સમયથી પાર્ટ ટાઈમ અધ્યાપકો તરીકે ફરજ બજાવતા અધ્યાપકોનું પગારના નામે શોષણ કરવામાં આવે છે અને માસિક રૂપિયા ૮૫૦૦ થી ૨૫,૫૦૦ સુધીનો પગાર ચૂકવવામાં આવે છે તેનો વિરોધ કરવા આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં ખડં સમયના અધ્યાપકો એકત્ર થયા હતા અને પગારના મામલે થતુ શોષણ બધં કરવા લાગણી વ્યકત કરી હતી.
અખિલ ગુજરાત ખડં સમય અધ્યાપક મંડળ દ્રારા આપવામાં આવેલા આ કાર્યક્રમના અનુસંધાને આજે સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરમાંથી પાર્ટ ટાઈમ પ્રોફેસરો મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે નવરંગપુરા વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી સામે આવેલ ધરણા પર બેસી ગયા હતા.
અધ્યાપકોના જણાવ્યા મુજબ ૩૦ વર્ષ થી વધુ સમયથી ખડં સમયના અધ્યાપક તરીકે સળગં નોકરી કરી હોવા છતાં મામુલી વેતન મળે છે આ સંદર્ભે સરકારમાં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કર્યા પછી પણ યુજીસીના નિયમ અને ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ પ્રપોશનેટ (પ્રમાણસર) પગાર આપવાની અમારી માગણી નો કોઈ ઉકેલ આવ્યો નથી. તેના વિરોધમાં આજે આ ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે.
અખિલ ગુજરાત ખડં સમય અધ્યાપક મંડળે તેમના આ કાર્યક્રમમાં અધ્યાપકોને પણ હાજર રહેવા માટે અનુરોધ કરીને આ લડતને ટેકો આપવા માગણી કરી હતી. બપોરે ૧૨ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન ધરણા યોજવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech