મનપાએ ખોટી રીતે નોટીસ આપતા આક્રોશપૂર્ણ થઇ રજૂઆત

  • June 03, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નરસંગ ટેકરી પાસે પંચાવન વર્ષથી કાર્યરત સંસ્થાને મનપાએ ખોટી રીતે નોટીસ આપતા આક્રોશપૂર્ણ રજૂઆત થઇ છે જેમાં રાજીવનગર વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સંસ્થાનું બાંધકામ નડતર‚પ છે તેવો આરોપ મુકાયો છે તેની સામે સત્ય હકીકત રજૂ કરીને સંસ્થાના હોદેદારોએ જણાવ્યુ છે કે રાજીવનગરમાં અનેક જગ્યાએ મોટાપાયે દબાણો થયા છે તેને દુર કરવાના બદલે સંસ્થાઓને મનપાનું તંત્ર ટાર્ગેટ બનાવે તે અયોગ્ય છે. 
શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના પ્રમુખ વિજયભાઇ પ્રજાપતિ તથા તેમના સમાજના વિશાળ સંખ્યામાં નાગરિકોએ મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર પાઠવીને એવી રજુઆત કરી હતી કે આપની કચેરી તરફથી અમો શ્રી સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, નરસંગ ટેકરી સાઇબાબાના મંદિર પાસે આવેલ સંસ્થાને ગત વર્ષના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજીવનગરના પાણીના નિકાલ માટે અમોનું બાંધકામ નડતર‚પ  થતું હોય તેવા આરોપ સાથે ધી. જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૧૬૪ અને કલમ ૧૮૮ અન્વયે નોટીસ પાઠવવામાં આવેલ છે.
જે નોટીસ અન્વયે આપને નમ્ર અરજ સાથે જણાવવાનું કે સોરઠીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંસ્થા હાલના જ સ્થળે ૫૫ વર્ષથી કાર્યરત છે તેમજ સને ૧૯૬૮માં આ સંસ્થાની જમીન અમોને સરકાર દ્વારા નિયમોનુસાર ફાળવવામાં આવેલી છે. જે તે સમયે અમોને છાયા ગામના સર્વે નંબર ૩૧૬વાળી જમીનમાંથી શ્રી પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓને જમીન ફાળવવામાં આવેલ હતી. પરંતુ આ સર્વે નંબરની જમીનમાંથી કુદરતી પાણીના નિકાલનું વહેણ આવેલુ હોય અમોને શ્રી પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને સને ૧૯૭૨માં પશ્ર્ચિમ તરફ ૪ ફૂટ પાણી નિકાલનો ગરો રાખવા માટે સમજૂતી કરવામાં આવતા અમોએ સહમતી આપી ૪ ફૂટઠ ગરો ખુલ્લો મૂકીને જ અમોની કાયદેસરની જગ્યાનો જ વપરાશ કરેલ છે. એટલું જ નહી અમો દ્વારા પૂર્વ તરફ ૧૨ ફૂટ રસ્તો પણ કાઢી આપેલ છે. આથી અમોએ પાણીના વહેણને કોઇ જ રીતે અટકાવવાની પ્રવૃત્તિ કરેલ નથી. તેમજ અમોની માલિકીની જગ્યામાં કોઇ જ કુદરતી પાણીના નિકાલને અવરોધ‚પ બાંધકામ કરેલ નથી. જે આપને વિદીત થવા વિનંતી.
વધુમાં આપને જણાવવાનું કે આપના દ્વારા અમોને ધી. જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૧૬૪ હેઠળ ડ્રેનેજ બનાવવાની નોટીસ આપવામાં આવેલી  છે. ખરેખર અમોની સંસ્થાની જમીનમાં હાલ ૪ ફૂટ પહોળાઇ ધરાવતુ પાણીનો ગરો હયાત જ છે. તેમજ પ્રતિવર્ષ વરસાદી પાણીનો નિકાલ આ જ ગરમાંથી થાય જ છે. આથી અમોને ધી. જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની  કલમ ૧૬૪ હેઠળ આપવામાં આવેલી નોટીસ તદ્ન ગેરવાજબી છે.
વધુમાં આપને જણાવવાનું કે રાજીવનગર કુદરતી રીતે નીચાણવાળો વિસ્તાર  છે. તેમજ પ્રતિવર્ષ માત્ર ૨-૫ ઇંચ વરસાદ થતા જ રાજીવનગરમાં વરસાદી પાણીનો ભરાવો થવા લાગે જ છે. કારણકે સમગ્ર વિસ્તાર રોડ લેવલથી આશરે ૨૦ ફૂટ નીચાણ ધરાવે છે. ઉપરાંત અગાઉ રાજીવનગરમાં તમામ સાર્વજનિક જગ્યાઓ ખુલ્લી હતી આથી વરસાદનું પાણી જે-તે વિસ્તારમા વહી જવાથી વરસાદ પૂરો થવાથી પાણીનો ભરાવો ઓછો થઇ જતો હતો. પરંતુ હાલ રાજીવનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણો તેમજ આડેધડ બાંધકામો ઉભા થઇ ગયેલ હોવાથી પાણી નિકાલની કોઇ ખુલ્લી જગ્યા બચી જ નથી. આથી ગત વર્ષે એકજ રાત્રીમાં ૨૫ ઇંચ જેવો રસાદ થવાથી તેમજ સુકાળા તળાવ તુટવાથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ હતો જે બાબત સર્વ વિદિત છે. પરંતુ રાજીવનગરમાં કેટલાક માથાભારે તત્વો રહેતા હોવાથી તેઓના  દબાણો બચાવવાના જ હેતુથી પોરબંદર મહાનગરપાલિકા વારંવાર અમોની સંસ્થાને જ માત્ર ટાર્ગેટ કરીને વારંવાર નોટીસો આપી હેરાન પરેશાન કરવામાં આવે છે તે તદ્ન વ્યાજબી નથી.
પોરબંદર મહાનગરપાલિકાએ જો ગત  ચોમાસાથી આજ સુધીમાં રાજીવનગરના સ્થાનિક દબાણો શોધીને દૂર કર્યા હોત તો વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ર્ન કયારનો ઉકેલાઇ ગયો હોત પરંતુ લાગવગ ધરાવતા લોકોને છાવરવા માટે થઇને પોરબંદર મહાનગરપાલિકાએ કાયરેય રાજીવનગરમાં આવેલા દબાણોનો સર્વે કર્યો જ નથી જે એક માત્ર સત્ય છે.
ઉપરાંત સમગ્ર રાજીવનગર વ્સ્તિારમાં કોઇ જ વ્યવસ્થિત ગટર આવેલી નથી તેમજ નિયમાનુસાર પહોળાઇ ધરાવતુ નાળુ પણ આવેલું નથી. આથી રાજીવનગરમાંથી જ વરસાદી પાણી સહેલાઇથી નીકળી જાય તેવું સ્ટ્રકચર રાજીવનગરમાં આવેલુ નથી. આથી જ્યાં સુધી રાજીવનગર વિસ્તારમાં નિયમાનુસાર યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહી આવે ત્યાં સુધી રાજીવનગર બહારના વિસ્તારોમાં કાર્યવાહી કરવાથી એક સરકારી નાણાનો જ દુરુપયોગ થશે.
કોઇ એક સંસ્થાને ટાર્ગેટ બનાવવાથી વરસાદી પાણીનો નિકાલ થઇ જવાનો નથી. જે આપ પણ સારી રીતે સમજી શકો છો. આથી આપના દ્વારા કોઇ જ ભેદભાવવાળી નીતિ અપનાવવામાં ન આવે તેવી અમો આપને અપીલ કરીએ છીએ.તેમ વિજયભાઇ ગોહેલ સહિત સોરઠીયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application