શહેરમાં સામાન્ય બાબતે મારામારી પથ્થરમારા ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં સમી સાંજના ચાર શખસો જાહેરમાં બાખડી પડ્યા હતા પથ્થરમારો પણ થયાનું ચર્ચાઇ રહ્યું છે. જાહેરમાં બખેડો કરનાર આ શખસોને માલવીયાનગર પોલીસે ઝડપી લીધા હતા. જેમાં એક શખસ નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સગીર સહિત આ ચારેય શખસો સામે જાહેરમાં બખેડો કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.
કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે તથા લોકરક્ષક દિગ્વિજયસિંહ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાંજે 7:45 વાગ્યા આસપાસ કંટ્રોલરૂમમાંથી કોલ આવ્યો હતો કે મહાદેવવાળી ચોક લક્ષ્મીનગર મેઈન રોડ પર કેટલાક શખસો જાહેરમાં ઝઘડો કરે છે જેથી તેઓ તુરંત અહીં પહોંચ્યા હતા. અહીં આ શખસો ઝઘડો કરતા હોય પોલીસે તેમને છૂટા પાડી તેમના નામ પૂછ્યા હતા. દરમિયાન આરોપી સાવન ચાવડા નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ ચારેય શખસો વિરુદ્ધ જાહેરમાં બખેડો કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લક્ષ્મીનગર મેઇન રોડ પર જાહેરમાં બખેડો કરી મારામારી તથા પથ્થરમારો કરનાર આ શખસોનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.બનાવ અંગે વધુ તપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech