ઓડિશાના ચિલ્કા તળાવમાં ગઈકાલ રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલાને લઈને જઈ રહેલી બોટ લગભગ બે કલાક સુધી પાણીમાં ફસાઈ ગઈ હતી. એક અધિકારીને ટાંકિને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર શઆતમાં એવું માનવામાં આવતું હતું કે માછીમારોએ માછલી પકડવા માટે નાખેલી જાળના કારણે બોટ ફસાઈ ગઈ હતી. પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ્રતા કરી કે તેમની બોટ રસ્તો ભટકી ગઈ હતી.
બોટમાં ગયેલા કેન્દ્રીય પ્રધાન તળાવમાં ફસાઈ ગયા હોવાનો મામલો પ્રકાશમાં આવતાં જ વહીવટીતંત્રે બીજી બોટ મોકલી હતી. જેના વડે કેન્દ્રીય મત્સ્યોધોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુષોત્તમ પાલાને બહાર કાઢીને તેમના નિર્ધારિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્ર્રીય પ્રવકતા સંબિત પાત્રા અને ફક્ષના અન્ય કેટલાક સ્થાનિક નેતાઓ પણ પાલાની સાથે બોટ પર હાજર હતા. આ ઘટના ત્યારે બની યારે મંત્રીએ ખુર્દા જિલ્લાના બરકુલથી તેમની યાત્રા શ કરી અને બ્લુ લગૂન દ્રારા પુરી જિલ્લાના સાતપારા જઈ રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીના કાફલાના ફરજ પર તૈનાત એક સુરક્ષા અધિકારીને ટાંકિને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે તળાવની વચ્ચોવચ્ચ લગભગ બે કલાક સુધી અટવાઈ રહી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું, અંધાં હતું અને બોટ ચલાવતા નાવિકને પણ માર્ગની જાણ નહોતી. તેથી અમે અમારો રસ્તો ભટકી ગયા હતા. વહીવટીતંત્રે તરત જ સતપારાથી બીજી બોટ મોકલી જેમાં મંત્રી અને તેમના સાથીદારો તેમના પૂર્વ નિર્ધારિત સ્થાને પહોંચવા માટે બેઠા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech