પોરબંદરમાં તાજેતરમાં જ સુતારવાડા ખાતે બે વયોવૃધ્ધ બળદ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાથી પોલીસની દરમિયાનગીરીથી જીવદયાપ્રેમીઓએ બળદને છોડાવ્યા હતા તેથી પોરબંદરના જીવદયાપ્રેમીએ આ મુદે આર.ટી.આઇ. કરી છે.
પોરબંદરના પશુપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ પશુ નિયામક સમક્ષ આર.ટી.આઇ. કરીને એવી વિગત માંગી છે કે પશુ જેવા કે, બળદ, ઉંટ, ઘોડા કે અન્ય ગુજરાત સરકારે જાહેર કરેલ નોટીફીકેશન કે જેમાં તેની વયમર્યાદા નક્કી કરેલ હોય તે નોટીફીકેશન અવા પરિપત્રની ખરી નકલ કચેરીના સહી સિક્કા સાથે આપવા અપીલ છે., ઉપરોકત તમામ પશુઓની વયમર્યાદા પૂર્ણ થઇ ગયા હોવા છતાં તે પશુના માલિકો દ્વારા બેરહમીપૂર્વક માલવાહન તરીકે ઉપયોગ કરવો, સતત બાંધી રાખવુું, પૂરતો ખોરાક ન આપવો વગેરે અન્ય કોઇપણ રીતે અત્યાચાર, ઉપયોગથતો હોય તો તે માટે પશુનિયામક અથવા તો જે કોઇની પણ જવાબદારી આવતી હોય તેવા અધિકારી, કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર, તેમજ હોદો તેમજ સરનામુ વગેરેની માહિતી કચેરીના સહીસિક્કા સાથે લેખિતમાં આપવા માંગ છે., શહેરમાં રખડતા ભટકતા બિનવારસુ અને માલિકીપણાના પશુઓ તમામને સરકાર દ્વારા પકડીને આસરો આપવો, ખાધાખોરાકી, મેડિકલ સુવિધા વગેરેની જવાબદારી આપની કચેરીને સોંપવામાં આવેલ છે કે કેમ? અગર તો આપની કચેરીને સોપવામાં આવેલ હોય તો ગુજરાત સરકારે લખેલા તમામ પરીપત્રોની ખરી નકલો કચેરીના સહી સિક્કા સાથે આપવા માંગ છે. તેમ રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech