જમ્મુ–કાશ્મીરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શ કરી દીધી છે. રાહત્પલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે જમ્મુ–કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા હતા. તેણે શ્રીનગરના એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કયુ અને ત્યારબાદ લાલ ચોક પાસેના પ્રખ્યાત પાર્લરમાં આઈસ્ક્રીમ ખાધો હતો.
એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, રાહત્પલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ સાથે શહેરના ગુપકર વિસ્તારમાં આવેલી હોટેલ લલિતથી નીકળ્યા અને હોટેલ અહદુસમાં રાત્રિભોજન કયુ, જે શહેરની શ્રે રેસ્ટોરન્ટસમાંની એક છે.
જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાનીના વ્યસ્ત રેસીડેન્સી રોડ વિસ્તારની હાઈ–પ્રોફાઈલ મુલાકાત ત્યાં હાજર દરેક માટે આશ્ચર્યજનક હતી. રાહત્પલ ગાંધીની મુલાકાત દરમિયાન, જેલમ નદીના કિનારે સ્થિત હોટેલની આસપાસ સુરક્ષા કોર્ડન બનાવવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન કર્યા પછી, રાહત્પલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ પ્રખ્યાત લાલ ચોકથી થોડાક મીટર દૂર પ્રતાપ પાર્ક વિસ્તારમાં ગયા અને એક પ્રખ્યાત આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાધો.
રાહત્પલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે જમ્મુ–કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પાર્ટીના ઘણા વરિ નેતાઓએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કયુ હતું. ૧૮ સપ્ટેમ્બરથી શ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણીને લઈને બંને નેતાઓ મહત્વપૂર્ણ બેઠક કરશે. આ ઉપરાંત ટિકિટ વિતરણ અંગે સ્થાનિક નેતાઓ સાથે પણ વાત કરશે. આ સિવાય જમ્મુ–કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન અંગે પણ ચર્ચા થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech