પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં પોલીસે આતંકવાદીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી, 150 આતંકવાદીઓ અથવા તેમના સહયોગીઓના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા માળખાને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી આ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ઘણી જગ્યાએ દરોડાની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી હેઠળ, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના આતંકવાદી સહયોગીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુએપીએ કાયદા હેઠળ નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. જેમાં ૧૧ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ લશ્કર-તૈયબાના હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે ઓપરેશન કેલર હેઠળ થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠનના ત્રણ સભ્યો માર્યા ગયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટને શોપિયાંના શોકલ કેલરના સામાન્ય વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી, એન્કાઉન્ટરમાં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓ માર્યા ગયા. હાલમાં ઓપરેશન ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMભાવનગરમાં ઈ-બસ સેવા માટે ૧૧ માસમાં માત્ર ૪૫ % જ કામ થયું
May 14, 2025 03:11 PMસિટી બસ-બીઆરટીએસની ૨૩૪માંથી ૧૫૨ બસ હજુ બંધ; મુસાફરોમાં દેકારો
May 14, 2025 03:10 PMસિહોરમાં નવા આર.સી.સી રોડનું ડાયવર્ઝન ખખડધજ હાલતમાં
May 14, 2025 03:08 PMચીને અરુણાચલની જગ્યાઓના નામ બદલ્યા, ભારતે હકીકત બદલાશે નહી
May 14, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech