વરસાદ ખેંચાતા ફુવારા પદ્ધતિ (Sprinkler System) શરૂઆત કરવામાં આવી
વરસાદ ખેંચાતા ફુવારા પદ્ધતિ (Sprinkler System) શરૂઆત કરવામાં આવી
August 12, 2026 10:50 AM
ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ ખેંચાયોછે લાંબા સમય સુધી ઉઘાડ નીકળે છે, ત્યારે ઊભા પાકને સૂકાઈ જવાથી બચાવવા માટે ખેડુતો જણાવ્યું હતું કે એ ફુવારા પિયત પદ્ધતિ (Sprinkler Irrigation) ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય છે.વરસાદ ખેંચાય ત્યારે ફુવારા પદ્ધતિનું મહત્વપાણીની મહત્તમ બચત (૪૦% થી ૫૦% બચત): ધોરિયા પીયત (પરંપરાગત પદ્ધતિ)માં પાણીનો વ્યય વધુ થાય છે, જ્યારે ફુવારા પદ્ધતિથી ઓછા પાણીમાં વધુ વિસ્તાર આવરી શકાય છે. વરસાદ ખેંચાયા હોય ત્યારે કૂવા કે બોરમાં પાણીનું સ્તર નીચું ગયું હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છેકૃત્રિમ વરસાદ જેવો અનુભવ: ફુવારા પદ્ધતિથી છોડ પર ઝરમર વરસાદની જેમ પાણી પડે છે, જેથી પાકની ધોવાણ વગર પૂરતો ભેજ મળી રહે છે અને છોડ પર જમા થયેલી ધૂળ પણ ધોવાઈ જાય છે.જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે: વધુ પડતા પાણીથી જમીનમાં નિતાર શક્તિ ઘટે છે અને જમીન કઠણ થઈ જાય છે. ફુવારા પદ્ધતિથી જમીનનું ધોવાણ અટકે છે અને જમીનની ફળદ્રુપતા તથા હવાની અવરજવર જળવાઈ રહે છે. વરસાદ ખેંચાતા ખેડૂતો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ હતી હાલમાં માંડવી માં સુયા બેસવાની શરૂઆત થઈ છે ત્યારે જ વરસાદની તાતી જરૂરિયાત છે પણ મેધરાજા હાઉકલી કરી જતાં રહે છે મેધા ડંબર જેવા માહોલ સર્જાયો છે પણ વરસતો નથી પાક ને વરસાદ ની રાહ જોઈ રહ્યો છે જેને પાણી છે તે લોકો ફુવારાઓ થી પાણી પાય રહ્યા છે