શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવશે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવાર પર બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધશે. ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ધનબાદની પાંચ દીકરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. આ છોકરીઓ કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) બલિયાપુરની પાંચ વિદ્યાર્થીનીઓ 19 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. KGBV બલિયાપુર એ ઉત્તર છોટાનાગપુર વિભાગમાંથી પસંદ કરાયેલી એકમાત્ર શાળા છે. વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી જવા રવાના થશે. તેમની સાથે છ શિક્ષકો પણ રહેશે. આ દરમિયાન તમામ વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. નવી દિલ્હીના વિવિધ ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે.
શા માટે આ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી?
આ વખતે બોર્ડની પરીક્ષામાં KGBV બલિયાપુરની 10મી અને 12મી બંને પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી મહત્વની વાત એ હતી કે તમામ વિદ્યાર્થીનીઓ બંને બોર્ડમાં પ્રથમ ડિવિઝન સાથે પાસ થઈ હતી. આ સાથે શાળાનું એકંદર શૈક્ષણિક પ્રદર્શન અન્ય શાળાઓ કરતા વધુ સારું છે. પસંદગી પામેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી એક રાજશ્રી કુમારીની અંડર-14 ખો-ખો સ્ટેટ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech