સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રારની જવાબદારી સંભાળવા રમેશ પરમારનો ઇનકાર, દોઢ મહિના પછી નિવૃત્ત થાય છે તો શા માટે પદ પરથી મુક્તિ માંગે છે?

  • June 04, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજીસ્ટાર તરીકે અલગ અલગ તબકકે લાંબો સમય સુધી જવાબદારી સંભાળનાર રમેશભાઈ પરમારે પોતાને આ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે લેખિતમાં કુલપતિ સમક્ષ રજૂઆત કરતા તેમની આ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને નવા ઇન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે પરીક્ષા વિભાગના સી.એમ.કાનાબારને નિયુક્ત કરવામાં આવેલ છે.


રમેશભાઇ પરમાર 14 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે 

રમેશભાઈ પરમારે આ અગાઉ જ્યારે નીલંબરીબેન દવે કુલપતિ હતા ત્યારે આ મુજબ ઇન્ચાર્જ માંથી મુક્તિ મેળવવા રાજીનામું આપ્યું હતું. પરંતુ ત્યારે તેની માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. રમેશભાઇ પરમાર આગામી તારીખ 14 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે માત્ર દોઢ મહિના જેટલા ટૂંકા સમયગાળા પૂર્વે તેમણે શા માટે ઇન્ચાર્જની જવાબદારીમાંથી મુક્તિ મેળવી હશે તેવા સવાલો યુનિવર્સિટી કેમ્પસમાં પુછાઇ રહ્યા છે.


કાયમી રજીસ્ટરની જગ્યા લાંબો સમયથી ખાલી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટરની જગ્યા લાંબો સમયથી ખાલી હતી. છેલ્લે 28 જુલાઈ 2023 ના રોજ કાયમી રજીસ્ટ્રાર તરીકે રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી એચ.પી. રૂપારેલિયાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ અત્યંત ટૂંકા સમયગાળામાં તારીખ 30 નવેમ્બર 2024 ના તેમણે પણ રાજીનામું આપ્યું હતું અને ત્યારથી આ ખાલી જગ્યાનો ચાર્જ ડેપ્યુટી રજીસ્ટર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમારને સોપવામાં આવ્યો હતો.


હજુ ચીફ એકાઉન્ટ, રજીસ્ટ્રાર જેવી અનેક જગ્યાઓ ખાલી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબો સમય સુધી કુલપતિની જગ્યા ખાલી રહ્યા પછી છેલ્લા થોડા સમયથી તે ભરવામાં આવી છે. પરંતુ આમ છતાં હજુ ચીફ એકાઉન્ટ, રજીસ્ટ્રાર જેવી અનેક જગ્યાઓ ખાલી પડી છે અને તેની સિધી વિપરીત અસર રોજીંદી વહીવટી કામગીરી અને નીતિ વિષયક બાબતોમાં જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application