કૌશલ્યાની ભૂમિકા નિભાવતા ઈન્દિરા કૃષ્ણને આપ્યું અપડેટ
નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણની ચાહકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. સેટ પરથી બંને સ્ટાર્સની કેટલીક તસવીરો સામે આવી હતી, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ છે કે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ભવ્ય સેટ પર થઈ રહ્યું છે.
ત્યારે હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી આ અપડેટ ઈન્દિરા કૃષ્ણન દ્વારા આપવામાં આવી છે, જે ફિલ્મમાં માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવતા જોવા મળશે.
ઈન્દિરા કૃષ્ણને એક ખાસ મુલાકાતમાં ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો વિશે વાત કરી છે. તેણે ફિલ્મની કાસ્ટિંગ પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'હું રામાયણ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું અને અત્યાર સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ ફિલ્મમાં મારું પાત્ર કૌશલ્યા છે. હું આ રોલ રણબીર સાથે કરી રહી છું. ફિલ્મમાં રવિ દુબે પણ છે અને તે લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ 100 ટકા હિટ છે એમાં કોઈ શંકા નથી. હું તેને સુપરહિટ કહીશ..
વધુમાં, ઈન્દિરા કૃષ્ણને કહ્યું કે એવું નથી કે હું આ ફિલ્મ સાથે જોડાયેલી છું, તેથી જ હું તેના હિટ હોવાની વાત કરી રહી છું. પણ ફિલ્મનું કાસ્ટિંગ શાનદાર છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ દશરથની ભૂમિકામાં જોવા મળશે. તે ખરેખર દશરથ જેવો દેખાય છે. જ્યારે અમે શૂટિંગ કરતા હતા, ત્યારે તેમને તે દિવસો યાદ આવતા હતા જ્યારે તેઓ રામાયણમાં રામનું પાત્ર ભજવતા હતા. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે રણબીર કપૂર ફિલ્મમાં રામનો રોલ કરી રહ્યો છે. સાઈ પલ્લવી સીતાના રોલમાં અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે
ઈન્દિરા કૃષ્ણને પણ આ પ્રસંગે રણબીર કપૂરના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે એક શાનદાર અભિનેતા છે, પરંતુ તે સામાન્ય માણસ સાથે જોડાયેલો રહે છે. મેં તેને ક્યારેય કોઈનું ખરાબ બોલતા સાંભળ્યું નથી અને જે રીતે તેણે મને માન આપ્યું છે. મને નથી લાગતું કે બીજા કોઈએ આ કર્યું હશે. મને લાગે છે કે રામનું પાત્ર જો કોઈ સુંદર રીતે ભજવી શકે છે તો તે રણબીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech