પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્ર્રની ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યકત કર્યેા છે અને સંકેત આપ્યો છે કે જો તક આપવામાં આવે તો તેઓ ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરવા તૈયાર છે.
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કહ્યું કે તેઓ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે તેમની ભૂમિકા ચાલુ રાખીને વિપક્ષી મોરચો ચલાવવાની બેવડી જવાબદારી સંભાળી શકે છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, મેં ઈન્ડિયા બ્લોકની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકે તો હત્પં શું કરી શકું? હત્પં માત્ર એટલું જ કહીશ કે અમે બધાને સાથે લઈને ચાલવું પડશે.
યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિા હોવા છતાં તેઓ શા માટે ઈન્ડિયા બ્લોકનો હવાલો નથી લઈ રહ્યા? આના પર બેનર્જીએ કહ્યું કે, જો મને તક મળશે તો હત્પં તેનું સુચા કામ સુનિશ્ચિત કરીશ. તેણીએ કહ્યું, હત્પં બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હત્પં તેને અહીંથી ચલાવી શકું છું. ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા ઈન્ડિયા બ્લોકમાં બે ડઝનથી વધુ વિપક્ષી દળોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech