પોરબંદરમાં બંદર સુધીની રેલ્વેલાઇન પુનર્જીવિત કરવા સહિત વંદે ભારત ટ્રેનને લંબાવવા ડી.આર.યુુ.સી.સી.ની બેઠકમાં રજૂઆત થઇ હતી. વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝન ની બેઠક માં કેન્દ્રીય મંત્રી-સંસદસભ્ય ના સરકાર નિયુક્ત નોમીની વિજયભાઈ થાનકી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે નવનિયુક્ત જીજ્ઞેશભાઈ કારીયાએ ભાવનગર રેલવે સભા ગૃહમાં મળેલી બેઠક માં ઉપસ્થિત રહી ને રેલવે ને લગતા પ્રશ્ર્નોની અસરકારક રજૂઆત કરી હતી આ બેઠકમાં જીજ્ઞેશભાઈ કાર્રિયા અને વિજયભાઈ થાનકી દ્વારા પ્રસ્તુત એજન્ડા આઈટમ નંબર ૧૧ થી ૧૮ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આ પ્રશ્ર્નોના ઉકેલ માટે રેલવે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે જેમાં ખાસ કરીને વંદેભારત ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવે અથવા તો નવા ટ દ્વારા અલગથી અમદાવાદ ટુ પોરબંદર દોડાવવામાં આવે એવી રજૂઆત મુખ્ય રહી હતી આ ઉપરાંત પોરબંદર શહેરમાં આવેલ ફાટક માટે ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે ઓવરબ્રિજ અથવા અંડર બ્રિજ ની ફિઝિબિલિટી ચકાસવામાં આવે અને પોર્ટ ની લાઈન પુનજીર્ર્વીત કરવામાં આવે જેથી પોરબંદરના વિકાસ અને વેગ મળે આ બધી બાબતો ની રજૂઆત માટે વિચારવામાં આવશે અને જીગ્નેશભાઈ કારિયા દ્વારા જુના પેન્ડિંગ પ્રશ્ર્નો બાબતે રેલવે તંત્રને ઉકેલ માટે ઝડપ કરવા આગ્રહ કર્યો હતો એવી બાહેધરી આ મિટિંગમાં આપવામાં આવી હતી
લગભગ અઢી કલાક ચાલેલી આ મિટિંગમાં ડી.આર. યુ. સી. સી.ના તમામ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક પેસેન્જર અને રેલવે તંત્રને લગતા પ્રશ્ર્નોની છણાવટ કરવામાં આવી હતી એમ વિજયભાઈ થાનકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech