આજના શપથવિધી સમારોહમાં જામનગરના ધારાસભ્ય અને મંત્રી મંડળમાં સ્થાન પામેલા રીવાબા જાડેજાએ સંસ્કાર અને સભ્યતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું, શપથ લેવા આવ્યા ત્યારથી લઇને સહી કરવા તથા રાજયપાલ અને મુખ્યમંત્રીને મળવા સુધીની આખી શપથવિધી દરમ્યાન પોતાના માથા પર સાડીનો પાલવ ઓઢી રાખ્યો હતો.
આ શપથ સમારોહમાં દર્શનાબેન વાઘેલા, મનીષાબેન વકીલ પણ શપથ લેવા આવ્યા હતાં પણ તેઓએ માથે ઓઢીને શપથ લીધા ન હતાં, ફકત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ માથા પર ઓઢીને માન, મર્યાદા અને માભો રાખીને તેમના સંસ્કારના દર્શન કરાવ્યા હતાં.