રાજકોટના જેતપુર-ધોરાજી હાઈવે પર એસટી બસે પલટી મારી છે, ડ્રાઈવરને ચક્કર આવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. એસટી બસ પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા અકસ્માત થયો છે, ઢાંક-જેતપુરની બસમાં 17 જેટલા મુસાફરો સવાર હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જેતપુર-ધોરાજી હાઇવે પર બસે પલટી મારી
જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે ઉપર એસટી બસે પલટી મારી છે, જેતપુરના મોટા ગુંદાળા ગામ નજીક હાઇવે ઉપરથી એસટી બસ પુલ રેલિંગ તોડી નીચે ખાબકી હતી અને ઢાંક-જેતપુર રૂટની એસટી બસમાં 17 જેટલા મુસાફરો હતા સવાર 4 ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને 6 ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે, 5 થી 6 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે અને રાજકોટ એસટી ડેપોમાં આ મામલે જાણ પણ કરવામાં આવી હતી.