ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા ભાવકરણભાઈ દુદાભાઈ ગુજરીયા નામના 30 વર્ષના યુવાને થોડા દિવસો પૂર્વે એક આસામીની વાડીએ ખળમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ભાવકરણભાઈના મોટાભાઈ જેશુરભાઈ આજથી આશરે એક વર્ષ પૂર્વે પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના મોટાભાઈ લાલાભાઈ થોડા વર્ષો પૂર્વે અકસ્માતમાં અવસાન પામ્યા હતા.
આ અંગેના વિચારો આવતા તેમણે વ્યથિત થઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ મેકરણભાઈ દુદાભાઈ ગુજરીયા (ઉ.વ. 27) એ ખંભાળિયા પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
અકસ્માતે પડી ગયેલા મેવાસાના વૃદ્ધનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ ચાવડા નામના 75 વર્ષના વૃદ્ધ તારીખ 12 ના રોજ દાત્રાણા ગામના બેઠા પુલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પગે ઠેસ લાગતા તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર કેશુભાઈ ગોવિંદભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech