સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલની સીઝન શરૂ થતાની સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલોનું વેંચાણ કરતી વેપારી પેઢીઓમાં રાજકોટ મહાનગરપાલિકાની ફુડ બ્રાન્ચએ ચેકિંગ હાથ ધરીને વિવિધ બ્રાન્ડના તેલના ચાર સેમ્પલ લીધા હતા. ભેળસેળ છે કેમ તેની ચકાસણી અર્થે આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં આવેલી વિવિધ વેપારી પેઢીઓમાંથી વિવિધ બ્રાન્ડના ખાદ્યતેલોના ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં જયશ્રી રિફાઇન્ડ કોટનસીડ ઓઇલનું સેમ્પલ બંસીધર ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ ખાતેથી, સરકાર રિફાઇન્ડ કપાસિયા તેલનું સેમ્પલ માધવ ટ્રેડિંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ ખાતેથી, ડોલર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનું સેમ્પલ મજીઠીયા ટ્રેડર્સ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ ખાતેથી તેમજ ગુલાબ સિંગતેલનું સેમ્પલ બાલમુકુન્દ કિરાણા ભંડાર, ઉદ્યોગનગર-૨, વિશાલ કોમ્પ્લેક્ષ સામે, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. આ તમામ સેમ્પલ પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, હવે નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે અન્ય તમામ જણસીઓની આવક ૨૪ કલાક રાબેતા મુજબ ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech