સિયાલદાહ કોર્ટે આરજી કર બળાત્કાર–હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો છે. આ નિર્ણય સીબીઆઈ દ્રારા રજૂ કરાયેલા પુરાવા, ફોરેન્સિક રિપોર્ટ અને ૫૦ સાક્ષીઓના નિવેદનોના આધારે આપવામાં આવ્યો છે. આ કેસમાં અંતિમ ચર્ચા ૯ જાન્યુઆરીએ થઈ હતી, જેમાં સીબીઆઈએ આરોપી સંજય રોય માટે મૃત્યુદંડની માંગ કરી હતી. કોર્ટ ૨૦ જાન્યુઆરીએ દોષિત સંજય રોયને સજા સંભળાવશે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. ૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ સવારે, ઉત્તર કોલકાતાના સરકારી મેડિકલ કોલેજ આરજી કારમાં એક તાલીમાર્થી મહિલા ડોકટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર અનેક ઈજાના નિશાન હતા.
મુખ્ય આરોપી સંજય રોયને બપોરે લગભગ ૧ વાગ્યે સિયાલદાહ કોર્ટમાં લાવવામાં આવ્યો. આ પછી, બંને પક્ષોના વકીલોએ સજા પર ચર્ચા કરી. આ પછી, જસ્ટિસ અનિર્બાન રોયે કોર્ટ મ નંબર ૨૧૦ માં સજા સંભળાવી. કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે બીએનએસ કલમ ૬૪, ૬૬, ૧૦૩૧ લાગુ કરવામાં આવી છે. આરોપી વિદ્ધ ફરિયાદ એવી છે કે તે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર મમાં ગયો અને ત્યાં આરામ કરી રહેલી એક મહિલા ડોકટર પર બળાત્કાર ગુજાર્યેા અને હત્પમલો કર્યેા અને પછી તેની હત્યા કરી દીધી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુનેગારે પહેલા પીડિતા પર બળાત્કાર ગુજાર્યેા હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપીએ તેણીનું મૃત્યુ પુષ્ટ્રિ કરવા માટે બે વાર ગળું દબાવી દીધું. આરજી કર મેડિકલ કોલેજે શઆતમાં કહ્યું હતું કે તે આત્મહત્યા છે, પરંતુ પછી આ મામલો સ્તર–દર–સ્તર પર ખુલવા લાગ્યો. આ બાબતની સત્યતાએ આખા દેશને ચોંકાવી દીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech