પીએચડીમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો મુજબ અને ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એક્ટ તથા સ્ટેચ્યુટ મુજબ પ્રવેશ આપવાના આકાર નિર્ણયના કારણે પીએચડીમાં 150 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યા ભરવા માટે થોડા સમય અગાઉ છૂટછાટો આપવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મળેલી બેઠકમાં અગાઉના તમામ કડક નિયમો હળવાફૂલ બનાવી દેવાનો નિર્ણય કયર્િ છે અને તેના અનુસંધાને આજથી પીએચડી એડમિશન રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પણ ખુલ્લું મૂકી દેવાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ પ્રવેશ માટે ભૂતકાળ માં લેવાયેલ યુજીસી-નેટ, જીલેટ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પીઈટી પાસ તથા તાજેતરમાં ડિસેમ્બર-2024 માં જીસેટ પાસ કરેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માટે આજથી તા. 22 સુધી યુનિવર્સિટી નું પીએચ. ડી. રજિસ્ટ્રેશન પોર્ટલ છેલ્લી તકના રૂપમાં ખોલવામાં આવ્યું છે. પ્રથમ રાઉન્ડના અંતે જે તે વિષયમાં જગ્યાઓ ખાલી છે તેના માટે જ રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આજે સવારે 10.30 થી યુનિવર્સિટી ની વેબસાઈટ પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.
હવે પછીથી પીએચ.ડી. માં યુજીસી ના નવા નિયમ પ્રમાણે યુ જી સી નેટ પીએચડી પરીક્ષા પાસ કરેલ હોય તેને જ એડમિશન આપવામાં આવશે. પીઈટી માન્ય રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech