વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા રદ થવા પાછળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જવાબદાર, પ્રા. શિક્ષણ પસંદગી સમીતિએ અપજશનુ ઠીકરું યુનિ. પર ફોડ્યું

  • June 02, 2025 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમમાં વર્ષ 2024 ની ભરતી અન્વયે વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને કયા જિલ્લામાં નોકરી કરવી છે તે માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા તારીખ 22 થી 31 મે દરમિયાન યોજવામાં આવી હતી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા વિદ્યા સહાયકોથી ભરાઈ જશે તેવી આશા હતી પરંતુ સરકારે એકાએક આ સમગ્ર પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સભ્ય સચિવ દ્વારા આ સંદર્ભે સત્તાવાર રીતે કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રીઝલ્ટ' શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પહેલા, બીજા અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરીટ લીસ્ટમાં ફેરફાર થતો હોવાનું જણાયું હતું. આ પરિસ્થિતિના કારણે ઉમેદવારોમાં અસંતોષ ફેલાવવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે આ સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવી છે.

વિદ્યા સહાયકોની ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20 જાન્યુઆરી 2017 ના જાહેરનામાના પેરેગ્રાફ નંબર આઠ (2) (1) મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે નવેસરથી જિલ્લા પસંદગીનું સમયપત્રક આગામી દિવસોમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News