બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. હિંસા વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારી મિલકતોને આગ ચાંપી દીધી. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીનાનું વિમાન ગાઝીયાબાદના હિંડન એર બેઝ પર લેન્ડ થયું છે. પ્લેન સાંજે 5:36 કલાકે હિંડન એરબેઝ પર લેન્ડ થયું હતું. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ શેખ હસીનાનું સ્વાગત કર્યું. શેખ હસીનાને લઈ જઈ રહેલા C 130J એરક્રાફ્ટને હિંડોનમાં ઉતરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે.
નોકરીમાં અનામત નાબૂદ કરવા અને વડા પ્રધાન શેખ હસીના અને શાસક પક્ષના સમર્થકોના રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 19 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે દેશભરમાં સેના તૈનાત છે.
ભારતમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી
રાજધાની દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનના 20થી વધુ કર્મચારીઓને બાંગ્લાદેશ હાઈ કમિશનના ગેટ પર તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે અહીં બેરીકેટ્સ ગોઠવી દીધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech