છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગુંદાવાડી શેરી નંબર 25 માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (ઉ.વ 46) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લક્ષ્મીવાડી મેઇન રોડ ધૃવિલ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. 101 માં રહેતા બીપીન કુમુદભાઈ આડેસરાનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં ગિરિરાજ ચેમ્બરમાં શ્રીનાથજી ગોલ્ડ આર્ટ નામની દુકાન ધરાવે છે અને છેલ્લા 30 વર્ષથી અહીં વેપાર કરે છે તેમની પાડોશમાં રહેતા બીપીન આડેસરા બાલમુકુંદ જ્વેલર્સ નામની સોનાની દુકાન ચલાવે છે. બીપીનભાઈ સાથે છેલ્લા બે વર્ષથી વ્યાપારિક સંબંધ હોય બીપીન સોના દાગીના લઈ જઈ બજારમાં વેચી કમિશન કાઢી દાગીનાના બદલામાં ફાઈન સોનું આપતો હતો. બીપીન જે દાગીના લઈ જતો તેના બદલામાં એક ચિઠ્ઠી લખી આપતો હતો.
દરમિયાન એક વર્ષ પૂર્વે અલગ અલગ સમયે બીપીન વેપારી પાસેથી સોનાના દાગીના અને ફાઇન સોનુ લઈ ગયો હતો. ત્યારબાદ તા. 11/7/2024 ના તેણે કેટલુક સોનું પરત આપ્યું હતું. પરંતુ હજુ વેપારીને 387.371 ગ્રામ ફાઈન ગોલ્ડ બીપીનભાઈ પાસેથી લેવાનું નીકળતું હતું. જે તેણે ડાયરીમાં લખી આપ્યું હતું. જેની કિં.રૂ 37,51, 500 થતી હોય આ બાકી નીકળતું સોનું પરત આપવા માટે વેપારી અવારનવાર બીપીન પાસે માંગણી કરતા તેણે કહ્યું હતું કે, મારો માલ વાઘેશ્વરી જ્વેલર્સ વાળાને આપ્યો છે. પરંતુ આ વાઘેશ્વરી જ્વેલર્સવાળા મયુર બટુકભાઈ કાત્રોડીયા ગત તા. 18/5/2024 ના રાજકોટ મૂકીને જતા રહ્યા હોય તે મને જ્યારે સોનુ આપશે ત્યારે હું તમને સોનું આપીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી અવારનવાર વેપારી ઉઘરાણી કરવા છતાં બીપીને સોનુ પરતના આપતા સમાજના આગેવાનો સાથે વાત કરતા બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ ત્યારબાદ પણ બીપીને સોનુ પરત ન આપતા અંતે સોની વેપારીએ તેમની સાથે થયેલી રૂપિયા ૩૭.૫૧ લાખની છેતરપિંડી અંગે બીપીન કુમુદભાઈ આડેસર આ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એમ.આર.મકવાણા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech