નયનતારાના લગ્નજીવનમાં ખટાશ આવી હોવાની જોરદાર ચર્ચા
નયનથારા વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે, અભિનેત્રીએ તેના પતિ નિર્માતા વિગ્નેશ શિવનને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે.
સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કદાચ અભિનેત્રીના લગ્ન જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. નયનતારાની લેટેસ્ટ પોસ્ટ પરથી આનો અંદાજ લગાવી શકાય છે.અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું છે કે "તેની આંખોમાં આંસુ હોવા છતાં, તે હંમેશા કહેશે 'મને આ મળ્યું". અભિનેત્રીએ આ રહસ્યમય પોસ્ટ શેર કરીને ચાહકોને વિચારવા મજબૂર કરી દીધા છે.
પતિને કર્યાં અનફોલો
એટલું જ નહીં, નયનતારાએ તેના પતિ ફિલ્મમેકર વિગ્નેશ શિવનને ઈન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કરી દીધા છે. તે જ સમયે, ચાહકો તેમના અલગ થવાના સમાચારથી ખૂબ જ ચિંતિત દેખાય છે.બંને દક્ષિણના પ્રિય કપલ તરીકે જોવામાં આવે છે.
બંનેના લગ્નને લાંબો સમય થયો નથી.બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી અને 2022માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત 2015માં 'નાનુમ રાઉડી'ના સેટ પર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તમને જણાવી દઈએ કે વિગ્નેશ આના ડાયરેક્ટર હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
નયનતારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નયનતારાએ આ વર્ષની શરૂઆતમાં જવાન ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અટલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને વૈશ્વિક સ્તરે રૂ. 1000 કરોડથી વધુ કમાણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech