ચોમાસુ નૈઋત્યનું ચોમાસું તારીખ ૩૧ મેના રોજ કેરળમાં બેસી જશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા ઘણા સમય પહેલા કરવામાં આવી છે. આજે આ સંદર્ભેના વધુ એક બુલેટિનમાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા જણાવાયું છે કે નૈઋત્યનું ચોમાસું આગામી ચાર દિવસમાં કેરળમાં બેસી જશે.ભારતીય વેધશાળાના સત્તાવાર બુલેટિનમા જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું અપેક્ષા મુજબ આગળ વધી રહ્યું છે. આંદામાન નિકોબાર ટાપુ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અમુક ભાગમાં તે પ્રવેશી ચૂકયું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનાં બાકી રહી ગયેલા મોટાભાગના વિસ્તારોને તે કવર કરી લેશે.
આગામી ચાર દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી જશે તેની અસરના ભાગપે આજથી કેરલ ચેન્નાઇ લક્ષદીપ અંદમાન નિકોબાર ટાપુ ઉપર ભારે વરસાદ શ થઈ ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ એક જૂન સુધી આ સમગ્ર વિસ્તારમાં વરસાદનું જોર રહેશે.
હવામાન ખાતાની ચોમાસાની આ સિઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ માટે પણ આગાહી કરી છે અને તેના કારણે લોકો હવે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો ચોમાસુ ઝડપથી શ થાય તેવી આશા રાખે છે. વાવાઝોડાની અસરના ભાગપે દક્ષિણના અમુક રાયો અને પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી ગયો છે અને હવે નૈઋત્યનું રેગ્યુલર ચોમાસું શ થવા આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. જોકે નૈઋત્યના આ ચોમાસાને ગુજરાત પહોંચતા સમય લાગશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેરળમાં ચોમાસુ બેસી ગયા પછી તેને ગુજરાત પહોંચતા ૧૭ થી ૨૦ દિવસ લાગતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech