નૈઋત્યનું ચોમાસુ શનિવારે કેરળમાં પહોંચી ગયા બાદ તે ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં મુંબઈ સહિતના મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને બેંગલુરુ સહિત કર્ણાટકના અનેક વિસ્તારોમાં તે એન્ટ્રી લેશે. કર્ણાટક અને મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં અનેક વિસ્તારોમાં પણ નૈઋત્યનું ચોમાસું આગામી 48 કલાકમાં બેસી જશે તેવી સંભાવના ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નૈઋત્યનું ચોમાસુ કેરળમાં બેઠું ત્યારે જ બંગાળની ખાડીમાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. આવતીકાલે બંગાળની ખાડીના વેસ્ટ સેન્ટ્રલ અને તેને સલગ્ન નોર્થ ભાગમાં એક પ્રભાવશાળી લો પ્રેસર ઉદભવી રહ્યું છે. આ લો પ્રેશરની અસરના કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં વધુ બળ મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં જ્યારે આગામી 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસુ એન્ટ્રી લે એવી સંભાવના ઊભી થઈ છે તેવા સમયે જ મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડમાં એક લો પ્રેસર જોવા મળ્યું છે અને તે પણ વરસાદની તીવ્રતા વધારે તેવી સંભાવના નિહાળવામાં આવી રહી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુગાવવાની પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ માટેની શક્યતા દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. ક્યાંય પૂરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી.
રવિવારે રાજકોટમાં 42.7 ડિગ્રી તપામાન નોંધાયું
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 20 મીલીમીટર નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા લીંબડી મૂળી બોટાદ જિલ્લાના બોટાદ ગઢડા અને રાણપુરમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન માત્ર આણંદ જિલ્લામાં ખંભાત અને આંકલાવમાં ઝાપટા પડ્યા છે. એક બાજુ વરસાદ માટેની આગાહી ચાલુ છે અને બીજી બાજુ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, રવિવારે રાજકોટમાં 42.7 અમદાવાદ અને ભુજમાં 43 ડીસામાં 41.2 ગાંધીનગરમાં 42.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech