તમામ વેપાર ધંધા બંધ રહ્યા : આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી : સમાજ દ્વારા અપાશે આવેદન
શેઠ વડાળા ગામમાં રહેતા જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન અતુલભાઇ રાઠોડના પરિવારજનો પર બે દિવસ પહેલાં હીચકારો હુમલો કરાયો હતો, જે હુમલાના બનાવના શેઠવડાળા ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને શુક્રવારે શેઠ વડાળા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં નાના-મોટા ૨૦૦થી વધુ દુકાનો સહિતના વેપાર ધંધા આવેલા છે, તે તમામ ધંધા રહ્યા હતા, ઉપરાંત ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો.
તાલુકા પંચાયતના પ્રમુખના પતિ સહિતના પરિજન પર હુમલો કરનાર આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, અને તેઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, તે મુજબ ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરાય તેવી માંગણી સાથે સમગ્ર ગ્રામજનો દ્વારા શનિવારે સવારે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech