વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદનો માહોલ રહયો હતો.મહુવામાં ભારે પવન,ગાજવીજ,સાથે પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો.આથી ઠેર ઠેર પુષ્કળ પાણી ભરાયાં હતાં.અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.વૃક્ષો ધરાશાયી થયા હતા.જેસર અને સિહોરમાં પોણો ઈંચ, ઉમરાળા અને પાલીતાણામાં અર્ધો, ભાવનગર, ઘોઘા, તળાજા અને ગારિયાધારમાં પા ઈંચ વરસાદ,વલભીપુરમાં ઝાપટા પડ્યા હતા.
દક્ષિણ -પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાની સાથે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી.ભાવનગર જિલ્લાના મહુવામાં મંગળવારે મેઘાએ ભારે પવન અને ગાજવીજ સાથે પોણા સાત ઈંચ પાણી વરસાવી દીધુ હતુ.આથી ઠેર ઠેર પુષ્કળ પાણી ભરાયાં હતાં અને લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. અનેક વૃક્ષો પડ્યા હતા.મહુવા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.બગદાણામાં અને આજુબાજુના કરમદીયા, નવાગામ, બોરલા, ધરાઈ,માં બે ઇંચ વરસાદ પડતા વિવિધ ખેતી પાકને નુક્સાન થયું છે
મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કમોસમી વરસાદના લીધે કોઈ નુકસાન થવા પામેલ નથી. માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની છેલ્લા પાંચ દિવસથી બે લાખ થેલા સુધીની આવક થઈ હતી. પરંતુ ડુંગળીની હરરાજી ઉભા વાહનમાં જ કરવામાં આવેલ હોવાથી ડુંગળીમાં કોઈ નુકસાન થવા પામેલ નથી. પરંતુ ડીહાઈડ્રેશન કારેખાનેદારોએ ડુંગળી ખરીદ કરી કારખાનામાં ખુલ્લામાં રાખેલ હોય ડીહાઈડ્રેશન કારખાનેદારોને લાખો રૂપિયાનો નુકસાન થવા પામેલ હોવાનું જાણવા મળ્યુ છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે સોમવાર બાદ મંગળવારે પણ વરસાદી માહોલ રહયો હતો.બપોરથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૭ મિ.મી. એટલે કે પા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૩૪ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.
જિલ્લાના સિહોર અને જેસરમાં મંગળવારે પોણો ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો.જ્યારે ઉમરાળા અને પાલીતાણામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે ઘોઘા,તળાજા અને ગારિયાધારમાં પા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.તો વલભીપુરમાં ઝાપટા પડયા હતા.
મંગળવારે સવારથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં મહુવામાં ૧૭૦,જેસરમાં ૨૧, સિહોરમાં ૧૮, પાલીતાણામાં ૧૪,ઉમરાળામાં ૧૧,તળાજામાં ૯, ભાવનગરમાં ૭,ગારિયાધારમાં ૭,ઘોઘામાં ૬ અને વલભીપુરમાં ૫ મિ.મી. વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech