ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો : કારણ જાણવા તપાસ
જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલા વીર સાવકર ભવન આવાસમાં રહેતી એક વિદ્યાર્થીને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગરમાં બેડી વિસ્તારમાં વીર સાવરકર ભવનના આવાસના એક બ્લોકમાં રહેતી પાયલબેન મહેન્દ્રભાઈ ડોડીયા નામની 20 વર્ષની વિદ્યાર્થીની યુવતી એ ગત 3 તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેણીનો મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મહેન્દ્રભાઈ નાનજીભાઈ ડોડીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. એ. મકવા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, બીજી બાજુ કયા કારણસર યુવતિએ પગલુ ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech