રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ 14 અને ત્યારબાદ તારીખ 15 ના રોજ બે દિવસ સુધી ભાદર ડેમની પાઇપલાઇન ના લીકેજ રીપેરીંગ માટે ગઈકાલે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે રીબડા નજીક એકાએક ભાદર લાઈનનો વાલ્વ તૂટી જતા વોર્ડ નં.7 અને વોર્ડ નં.14 હેઠળના ઢેબર રોડ તેમજ કેનાલ રોડ તથા 80 ફૂટ રોડના વિસ્તારોમાં એકાએક પાણી વિતરણ બંધ રહ્યું હતું જેથી રહીશોમાં ભારે દેકારો બોલી ગયો હતો.
દરમિયાન આ અંગે રાજકોટ મહાપાલિકાના ઇજનેરી સૂત્રોનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે આજે કોઇ પાણી કાપ મૂકવામાં આવ્યો ન હતો પરંતુ એકાએક વાલ્વ લિકેજ થઇ જતા પાણી વિતરણ થઈ શક્યું નથી આથી આજે જે વિસ્તારોમાં પાણી વિતરણ થયું નથી તે વિસ્તારમાં આવતીકાલે પાણીકાપ રહેશે નહીં અને વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
લતાવાસીઓએ જણાવ્યું હતું કે આજે સવારે એકાએક પાણી નહીં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે દેકારો બોલી ગયો હતો અને ત્યારે જાગૃત નાગરિકોએ નગરસેવકો તેમજ મહાપલિકાના ઇજનેરોનો સંપર્ક કર્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે ક્યાંક લીકેજ થયું છે તેના લીધે આજે આ વિસ્તારમાં પાણી વિતરણ થયું નથી, ત્યારબાદ તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે વાલ્વ લિકેજ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech