રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી આપી છે. નિમણૂક બાદ જસ્ટિસ સિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળના કોલેજિયમે 11 જુલાઈએ તેમના નામોની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજોના પદોને મંજૂરી આપવામાં આવી છે. આ બંને જયારે શપથ ગ્રહણ કરી લેશે ત્યારબાદ જજની તમામ જગ્યાઓ ભરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને હૃષિકેશ રાય છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ છે.
કોટીશ્વર સિંહ મણિપુરના પહેલા જજ હશે
જસ્ટિસ સિંહનો જન્મ 1 માર્ચ, 1963ના રોજ મણિપુરના ઈમ્ફાલમાં થયો હતો. તેમના પિતાનું નામ (સ્વર્ગસ્થ) જસ્ટિસ એન ઈબોટોમ્બી સિંહ હતું. જે ગુવાહાટી હાઈકોર્ટના પ્રથમ એડવોકેટ જનરલ હતા અને તેમના પિતાનું નામ એન ગોમતી દેવી હતું. ગુવાહાટી હાઈકોર્ટમાં જતા પહેલા તેમણે થોડો સમય સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. 2008માં ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા તેમને વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2011માં જસ્ટિસ સિંહે ગુવાહાટી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે શપથ લીધા હતા અને 2012માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech