અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ૨૬ વર્ષીય સુચિર બાલાજીનો મૃતદેહ તેના ફલેટમાંથી મળી આવ્યો છે. તેણે અગાઉ ઓપન એઆઈમાં સંશોધક તરીકે કામ કયુ હતું અને એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા) કંપની ઓપનએઆઈની કામગીરી અને તેની કામ કરવાની પદ્ધતિઓ સામે જાહેરમાં પ્રશ્નો ઉઠાવતા હતા. બાલાજીએ ઓપન એઆઈની પોલનો ખુલાસો કર્યેા હતો અને તે વખતે ઘણી વખત કંપનીની નીતિઓ અને તેના દ્રારા ઉપયોગમાં લેવાતા ડેટા અંગે ચિંતા વ્યકત કરી હતી.
અહેવાલો અનુસાર, બાલાજીએ છેલ્લા કેટલાક દિવસોથી તેના મિત્રો અને સહકર્મીઓના ફોન કોલ્સનો જવાબ આપ્યો ન હતો અને તે ઘરની બહાર પણ આવ્યો ન હતો. યારે તેના મિત્રો અને સહકર્મીઓ ચિંતા વ્યકત કરીને તેના લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બધં હતો. ત્યારબાદ તેણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી અંદર જઈને જોયું તો બાલાજીનો મૃત અવસ્થામાં હતો.
સાન ફ્રાન્સિસ્કો પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં અયોગ્ય રમતના કોઈ પુરાવા મળ્યા નથી અને હાલમાં આ મામલો આત્મહત્યાનો હોવાની શંકા છે. પોલીસે હાલમાં આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યેા છે.
બાલાજીએ ઓપનએઆઈ પર તેના જનરેટિવ એઆઈ પ્રોગ્રામ, ચેટજીપીટીને તાલીમ આપવા માટે યોગ્ય પરવાનગી વિના કોપીરાઈટ કરેલી સામગ્રીનો ઉપયોગ કરવાનો જાહેરમાં આરોપ મૂકયો હતો. તેમણે એમ પણ કહ્યું કે ચેટજીપીટી જેવી ટેકનોલોજી ઈન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે કારણ કે તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીનો કોઈપણ અધિકાર વિના ઉપયોગ કરે છે.
તેમના આક્ષેપોએ ઓપનએઆઈ સામે અસંખ્ય મુકદ્દમાં કર્યા છે, જેમાં લેખકો, પત્રકારો અને પ્રોગ્રામરોનો સમાવેશ થાય છે જેમણે દાવો કર્યેા હતો કે તેમની કોપીરાઈટ કરેલી સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી કંપનીની એઆઈ ક્ષમતાઓમાં વધારો થયો હતો
કંપનીની ગેરરિતીને ખુલ્લી પાડી હતી
બાલાજી ૨૦૨૦માં ઓપનએઆઈ માં જોડાયા અને લગભગ ચાર વર્ષ સુધી કંપનીમાં કામ કયુ. તે ચેટજીપીટી–૪ અને વેબ જીપીટી જેવા પ્રોજેકટનો ભાગ હતો, જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે એઆઈ ના ક્ષેત્રમાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર કામ કયુ, પરંતુ તેમની સૌથી મોટી ટીકા એ હતી કે ઓપનએઆઈ તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુપયોગ કરી રહી છે. બાલાજીનું મૃત્યુ એવા સમયે થયું છે યારે ઓપનએઆઈ અને તેની ભાગીદાર કંપની માઈક્રોસોટ સામે કોપીરાઈટ ઉલ્લંઘનના ઘણા કેસ પેન્ડિંગ છે. મીડિયા કંપનીઓ અને વ્યકિતગત કલાકારોએ ઓપનએઆઈ પર તેમની સામગ્રીનો ગેરઉપયોગ કરવાનો આરોપ મૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech