એસીબી દ્વારા દાખલ કરાયેલા અપ્રમાણ સર મિલકતના કેસમાં
પુત્રે પણ આગોતરા અરજી પાછી ખેંચવા મંજૂરી માગી : ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબાની જામીન અરજીમાં કાલે ચુકાદો
રાજકોટ રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયા અને ડેપ્યુટી ફાયર ઓફીસર ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સાગઠિયાની પત્ની-પુત્ર અને ભાઇએ એસીબીનો ગાળીયો કસાઇ તે પૂર્વે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી ભાઇ-ભાભીએ પરત ખેંચી લીધી છે. જ્યારે સાગઠિયાનો પુત્ર નિવેદન નોંધાવ્યા બાદ અગોતરા જામીન અરજી પરત ખેંચશે. આ ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ કરેલી જામીન અરજી ઉપર દલીલો પૂર્ણ થઇ છે અને જામીન અરજી ઉપર કાલે ગમે તે ઘડીએ કોર્ટ ચૂકાદો સંભળાવશે. આ કેસની હકીકત મુજબ, રાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભૂજાંયા હતા. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા તેના વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ ર્ક્યો હતો. મનસુખ સાગઠિયા સામે નોંધાયેલા આપ્રમાણસર મિલકતના ગુનામાં પરિવારજનોને નિવેદન માટે બોલવવામાં આવતા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પત્ની ભાવનાબેન, પુત્ર કેયુર અને ભાઇ દિલીપ સાગઠીયાએ એસીબી ગુનો દાખલ કરી ધરપકડ કરશે તેવી દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જ્યારે અપ્રમાણસર મિલકતના ગુનામાં સંડોવાયેલા ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. મનસુખ સાગઠિયાના પરિવાર વિરુદ્ધ કોઇ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માત્ર નિવેદન માટે બોલાવ્યા હોવાનું સામે આવતા મનસુખ સાગઠિયાની પત્ની ભાવનાબેન અને તેના ભાઇ દિલીપ સાગઠિયાએ આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હતી. જ્યારે પુત્ર કેયુર નિવેદન નોંધાવ્યા બાદ જામીન અરજી પરત ખેંચશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ અપ્રમાણસર મિલકતના ગુનામાં કરેલી જામીન અરજી આજે સેશન્સ કોર્ટમાં સુનવણી ઉપર આવતા સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી.સંજયભાઇ વોરા હાજર રહ્યા હતા અને બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી. ડેપ્યુટી ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબાએ કરેલી જામીન અરજી ઉપર અદાલત ગમે તે ઘડીએ ચૂકાદો સંભળાવશે આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી.સંજયભાઇ વોરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech