તનિષ્કના શોરૂમના મેનેજરનું ઉચાપત પ્રકરણ: કંપની દ્વારા ગ્રાહકને સંપૂર્ણ વળતર ચુકવાયું

  • May 30, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં તનિષ્કના શોરૂમના સ્ટોર મેનેજર દ્વારા રૂ.૧૭ લાખની ઉચાપત કરવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. બીજી તરફ આ અંગે ગ્રાહકને કોઇ તકલીફ ન પડે તે માટે તનિષ્ક દ્વારા ગ્રાહકને કંપની દ્વારા સંપૂર્ણ વળતર ચૂકવી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા તનિષ્ક શોરૂમ ખાતે અમારા ભૂતપૂર્વ સ્ટોર મેનેજર નિલેશ પ્રવિણભાઇ ગઢડા દ્વારા કસ્ટમરની ક્રેડિટ નોટના દુરુપયોગની રૂ. ૧૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે તનિષ્ક દ્વારા જણાવામાં આવ્યું છે કે, આ સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝી પાર્ટનર તથા અમારા ગ્રાહક કે જેની સાથે આ બનાવ બનેલ હતો એમના સહયોગ દ્વારા જ આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ગ્રાહકને કંપની દ્વારા સંપૂર્ણ વળતર ચૂકવી દેવામાં આવેલ છે અને કંપની તથા ફ્રેન્ચાઇઝી પાર્ટનર બન્ને તરફથી આ કેસનું સમાધાન કરવામાં આવ્યું છે.અમે વિશ્વાસ, પારદર્શિતા અને ઉચ્ચતમ ગુણવત્તા સાથેની કસ્ટમર સર્વિસ માટે વચનબદ્ધ છીએ. યાજ્ઞિક રોડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ રાજકોટના અમારા બંને શોરૂમ સંપૂર્ણપણે કાર્યરત છે અને પ્રમાણિકતા તેમજ સત્યનિષ્ઠતા સાથે દરેક ગ્રાહકને સર્વિસ આપી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application