રાજકોટમાં તનિષ્કના શોરૂમના સ્ટોર મેનેજર દ્વારા રૂ.૧૭ લાખની ઉચાપત કરવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. બીજી તરફ આ અંગે ગ્રાહકને કોઇ તકલીફ ન પડે તે માટે તનિષ્ક દ્વારા ગ્રાહકને કંપની દ્વારા સંપૂર્ણ વળતર ચૂકવી દેવામાં આવ્યું છે.
રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા તનિષ્ક શોરૂમ ખાતે અમારા ભૂતપૂર્વ સ્ટોર મેનેજર નિલેશ પ્રવિણભાઇ ગઢડા દ્વારા કસ્ટમરની ક્રેડિટ નોટના દુરુપયોગની રૂ. ૧૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે તનિષ્ક દ્વારા જણાવામાં આવ્યું છે કે, આ સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝી પાર્ટનર તથા અમારા ગ્રાહક કે જેની સાથે આ બનાવ બનેલ હતો એમના સહયોગ દ્વારા જ આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ગ્રાહકને કંપની દ્વારા સંપૂર્ણ વળતર ચૂકવી દેવામાં આવેલ છે અને કંપની તથા ફ્રેન્ચાઇઝી પાર્ટનર બન્ને તરફથી આ કેસનું સમાધાન કરવામાં આવ્યું છે.અમે વિશ્વાસ, પારદર્શિતા અને ઉચ્ચતમ ગુણવત્તા સાથેની કસ્ટમર સર્વિસ માટે વચનબદ્ધ છીએ. યાજ્ઞિક રોડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ રાજકોટના અમારા બંને શોરૂમ સંપૂર્ણપણે કાર્યરત છે અને પ્રમાણિકતા તેમજ સત્યનિષ્ઠતા સાથે દરેક ગ્રાહકને સર્વિસ આપી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન
June 02, 2025 04:54 PMઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો
June 02, 2025 04:51 PMમોકડ્રિલ:સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટમાં ૪ના મોત
June 02, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech