જામનગરમાં છેલ્લા દશેક દિવસથી વાદળીયું વાતાવરણ રહે છે, ભેજ વધુ હોવાના કારણે બપોરના ભાગમાં ગરમી રહે છે ત્યારે આજે સવારે પણ શહેર અને આજુબાજુના ગામડાઓમાં વાદળો છવાયા હતાં, જો કે સાંજે ૪૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં થોડી રાહત થઇ હતી, હજુ પણ કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરીના બહાને છ-છ કલાક સુધી અસહ્ય ગરમીમાં લાઇટો બંધ કરી દેવામાં આવે છે જેથી લોકો પરેશાન થાય છે, ખેડુતોએ પણ ઓજારો સજાવીને ધીરે-ધીરે વાવણી કાર્ય શ કર્યુ છે. તા.૧૨ થી ૧૮ જુન સુધીમાં ગમે ત્યારે રેગ્યુલર ચોમાસુ આવે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે હાલારમાં આ વખતે પણ મગફળી અને કપાસનું વાવેતર વધુ થશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૦ ડીગ્રી, હવામાં ભેજ ૭૦ ટકા, પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા છે, મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ થવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જો કે હવામાન ખાતાની ખાસ કોઇ આગાહી નથી, પરંતુ વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી છે.
આજે સવારે જામનગરનું વાતાવરણ પણ તડકો અને છાયડો રહ્યું હતું જેને કારણે અત્યારથી જ બફારો શરૂ થયો છે. સાંજ સુધીમાં વધુ ગરમી પડે તેવી શકયતા છે, તા.૭ જુન આસપાસ ચોમાસુ બેસી જશે તેવી હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી, પરંતુ ત્યારબાદ અન્ય કોઇ આગાહી આવી નથી, કદાચ ચોમાસુ ૧૧-૧૨ જુન આસપાસ પાછુ ઠેલાય તેવી વિગતો બહાર આવી છે, હાલ તો હાલારમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે. આ વર્ષે ગયા વખત કરતા ૧૬ ટકા વધુ થશે તેવું હવામાન ખાતુ કહે છે.
અસહ્ય ગરમીને કારણે ખેડુતોને પણ ખેતી કામમાં મુશ્કેલી પડી હતી, કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી ભારે ગરમી જોવા મળી હતી, જો કે ગઇકાલે સાંજે ૪૦ થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાત્રે ગરમીથી રાહત થઇ હતી.