વરસાદની સિઝન નજીક આવતી હોય જગતનો તાત વાવણી કાર્યમાં જોડાયા: મગફળી, કપાસ, તલ સહિતના વાવેતર માટે ખેડુતોની તૈયારી
જામનગરમાં છેલ્લા દશેક દિવસથી વાદળીયું વાતાવરણ રહે છે, ભેજ વધુ હોવાના કારણે બપોરના ભાગમાં ગરમી રહે છે ત્યારે આજે સવારે પણ શહેર અને આજુબાજુના ગામડાઓમાં વાદળો છવાયા હતાં, જો કે સાંજે ૪૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં થોડી રાહત થઇ હતી, પ્રિ-મોનસુન કામગીરી એપ્રિલ સુધીમાં પુરી થઇ જવી જોઇએ, છતાં પણ પીજીવીસીએલ દ્વારા કટકે-કટકે આ કામગીરી ચાલુ રહે તેથી ભરઉનાળામાં પણ પાંચથી છ કલાક કેટલાક વિસ્તારોમાં નોટીસ આપીને વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે જેથી લોકો હાલાકી ભોગવે છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫.૧ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮.૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૨ ટકા, પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા છે, મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે, વરસાદી વાતાવરણ થવાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, જો કે હવામાન ખાતાની ખાસ કોઇ આગાહી નથી, પરંતુ વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી છે.
આજે સવારે જામનગરનું વાતાવરણ પણ તડકો અને છાયડો રહ્યું હતું જેને કારણે અત્યારથી જ બફારો શ થયો છે. સાંજ સુધીમાં વધુ ગરમી પડે તેવી શકયતા છે, તા.૭ જુન આસપાસ ચોમાસુ બેસી જશે તેવી હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી, પરંતુ ત્યારબાદ અન્ય કોઇ આગાહી આવી નથી, કદાચ ચોમાસુ ૧૧-૧૨ જુન આસપાસ પાછુ ઠેલાય તેવી વિગતો બહાર આવી છે, હાલ તો હાલારમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે. આ વર્ષે ગયા વખત કરતા ૧૬ ટકા વધુ થશે તેવું હવામાન ખાતુ કહે છે.
અસહ્ય ગરમીને કારણે ખેડુતોને પણ ખેતી કામમાં મુશ્કેલી પડી હતી, કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી ભારે ગરમી જોવા મળી હતી, જો કે ગઇકાલે સાંજે ૪૦ થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા રાત્રે ગરમીથી રાહત થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMમોટાખુંટવડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સો ઝડપાયા
June 09, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech