ઉધમપુરમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસની CRPF અને SOG ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં CRPFના એક ઇન્સ્પેક્ટર શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસની CRPF અને SOGની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. આ પહેલા 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
વિગતવાર વાત કરીએ તો બસંતગઢના દૂરના દુદુ વિસ્તારમાં બપોરે લગભગ 3.30 વાગ્યે આતંકવાદીઓએ CRPF અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પર ગોળીબાર કર્યો હતો. CRPFની 187મી બટાલિયનના ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. હાલમાં જ રક્ષા મંત્રીએ આ હુમલાઓને લઈને એક બેઠક યોજી હતી.
CRPFની 187મી બટાલિયનના ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હોવાનું એક અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે SOG ટીમની જવાબી કાર્યવાહી બાદ આતંકીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પ્રથમ વિધાનસભા ચૂંટણી
મહત્વનું છે કે આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech