કર્ણાટક બેંગલોરના કંપની સંચાલકે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી યુનીમેટ એલોયસ કંપની અને તેના સંચાલક પાસેથી ગન મેટલનો માલ મંગાવવા પેટે કટકે કટકે રૂા. ૧૨.૭૧ લાખ મોકલી આપ્યા હતા. પરંતુ માલ ન મોકલી કે નાણા પરત ન કરી છેતરપીંડી કરતા ફરીયાદ નોંધાવા પામી હતી.
કર્ણાટક રાજ્યના બેંગલોરમાં સુમુખા એપાર્ટમેન્ટમાં રહેતા અને બેંગલોરના રાજાજી નગરમાં પ્રોડક્ટીવ ટુલ્સ એન્જીન્યર્સ કંપની ધરાવતા વેપારી શ્યામ સુંદર રાજુ ક્રિષ્નાપ્પા ચક્રગીરીએ બોરતળાવ પોલીસ મથકમાં શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં આવેલ મે. યુનીમેટ એલોયસ અને અશદ અશફાકભાઈ કાલવા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓની કમ્પનીને ગન મેટલ ની જરૂરીયાત ઉભી થતી હોય જેથી અશદનો સંપર્ક સાધી તેની પાસેથી અવાર નવાર ગન મેટલ મંગાવ્યા હતા. બાદ અશદ અને તેની કંપની યુનીમેટ એલોયસ કં. પાસે ગન મેટલનો માલ મંગાવી કટકે કટકે રૂા. ૧૨,૭૧,૯૭૩ બેંક મારફતે મોકવ્યા હતા. જે માલ તેણે ન મોકલતા અવાર નવાર તેને વાત કરવા છતા ગલ્લા તલ્લા કરી તેને માલ કે રૂપિયા ન પરત કરી તેઓ સાથે છેતરપીંડી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી. ૪૦૬, ૪૨૦, ૧૨૦બી મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech