જસદણ તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરના વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૦ કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. પરંતુ સરકાર હસ્તક ના ધાર્મિક સ્થળો ના વિકાસ માટે વધુમાં વધુ પિયા ૬૦ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય તેવો જુનો પરિપત્ર હોવાથી કોકડું ગૂંચવાયું છે.
ગઈકાલે ગાંધીનગર ખાતે રાજકોટ જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસની કામગીરીની સમીક્ષા કરવા માટે બેઠક મળી હતી. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પ્રવાસન નિગમના સચિવ હારિત શુકલા સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ૧૦ કરોડની ગ્રાન્ટ સંદર્ભે ચર્ચા નીકળતા જૂનો પરિપત્ર બતાવવામાં આવ્યો હતો અને તેમાં સરકાર હસ્તકના ધાર્મિક સ્થળોના વિકાસ માટે ૬૦ લાખની મર્યાદામાં કામ થઈ શકે તેવો નિયમ બતાવવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક અધિકારીઓએ આ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત છે અને તેથી ખાસ કિસ્સામાં તે મંજૂર થવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો હતો અને નવેસરથી આ સંદર્ભે દરખાસ્ત મૂકવામાં આવી હતી.
ઘેલા સોમનાથમાં અત્યારે પિયા ૧.૮૬ કરોડના ખર્ચે મીનળદેવી મંદિર, પગથિયા પહોળા કરવા, યાત્રાળુઓ માટે રહેવાની વધુ સુવિધા ઉભી કરવા સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને ૧૦ કરોડની ગ્રાન્ટ નો મુદ્દો ઊભો થયા પછી નવેસરથી તેનો પ્રોજેકટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં જૂનું હયાત માર્બલ પેવિંગ તૂટી ગયું છે તે નવેસરથી કરવું પડશે. મંદિરના ગર્ભ ગૃહના માર્બલ દિવાલ પણ રીપેર કરવાની જર છે. શિખરની નીચેના ભાગમાં ધુમાડાથી છારી લાગી ગઈ છે તેની યોગ્ય કાર્યવાહી કરવાની જર છે. મુખ્ય મંદિર પર ધ્વજા ચડાવવા સીડી અને પ્લેટફોર્મ બનાવવામાં આવશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો શ કરવાની પણ દરખાસ્ત છે. મંદિરનો ઇતિહાસ વર્ણવતા ડિજિટલ બોર્ડ ત્રણ જગ્યાએ મૂકવામાં આવશે. શહીદ સ્મારકના પાળીયા, ખાંભી વગેરેને પેડસ્ટલ પર વ્યવસ્થિત રીતે ગોઠવી શહીદ સ્મારકનું રિનોવેશન કરવામાં આવશે. મંદિર સંકુલની બહારના ભાગે દિવાલ ઉપર શ્રી શિવપુરાણના પ્રસંગો નું ચિત્રાંકન કરવાનું પણ આયોજન છે. કુલ ૨૨ મુદ્દાઓ વિકાસને લગતા તૈયાર કરીને નવેસરથી દરખાસ્ત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech