'જય હો' સોંગ રહેમાને નહી,સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું
ઓસ્કાર વિનિંગ ગીત મુદે રામ ગોપાલ વર્માએ કર્યો મોટો ધડાકો
રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જ્યાં ફિલ્મ નિર્માતાએ કહ્યું છે કે ઓસ્કાર વિનિંગ સોંગ 'જય હો' એ આર રહેમાને નહીં, પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું.
સ્લમડોગ મિલિયોનેરના 'જય હો' ગીતે એ આર રહેમાનને ઓસ્કાર, ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા અને ગ્રેમી એવોર્ડ જીતાડ્યા હતા. એઆર રહેમાનની કારકિર્દીને સાતમા આસમાને પહોંચાડવામાં 'જય હો' ગીતે ઘણી મદદ કરી હતી. હવે 'જય હો'ને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે 'જય હો'ની ટ્યુન એઆર રહેમાને નહીં, પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કરી હતી.
સલમાન ખાનની ફિલ્મ માટે કર્યું હતું કમ્પોઝ!
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જ્યાં રામ ગોપાલ વર્માએ કહ્યું- 'જય હો ગીત સુભાષ ઘાઈની 2008માં આવેલી ફિલ્મ યુવરાજ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે સુભાષ ઘાઈને લાગ્યું કે જય હો ગીત તેમની ફિલ્મમાં ક્યાંય ફિટ થઈ રહ્યું નથી. ત્યારબાદ વર્ષ 2008માં સ્લમડોગ મિલિયોનેરમાં જય હો ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'
એ.આર. રહેમાને નથી બનાવ્યું આ ગીત!
રામ ગોપાલ વર્માએ એમ પણ કહ્યું કે જય હો ગીતની ટ્યુન એઆર રહેમાને સુખવિંદર સિંહ પાસેથી કંપોઝ કરાવી હતી. રામ ગોપાલ વર્માનું કહેવું છે કે જ્યારે સુભાષ ઘાઈ એ આર રહેમાનના આલ્બમ આપવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સિંગર લંડનમાં હતો. એવામાં એઆર રહેમાને ગાયક સુખવિંદર સિંહ પાસેથી મદદ માંગી અને તેમની પાસેથી જય હો કમ્પોઝ કરાવ્યું. પરંતુ જ્યારે સુભાષ ઘાઈને ખબર પડી કે એ આર રહેમાને આ ગીત પોતે કંપોઝ નથી કર્યું, તો તેઓ ખૂબ નારાજ થઈ ગયા.
સુભાષ ઘાઈએ આપ્યો હતો ઠપકો
રામ ગોપાલ વર્માનું કહેવું છે કે સુભાષ ઘાઈએ એ આર રહેમાન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું તમને એક મ્યુઝિક ડિરેક્ટર તરીકે કરોડો રૂપિયા ચૂકવી રહ્યો છું અને તમે મારા માટે સુખવિંદર પાસેથી ધૂન કંપોઝ કરાવી રહ્યા છો. જો મને સુખવિંદર જ જોઈતો હોય તો હું તેને સાઇન કરીશ. પૈસા લઈને સુખવિંદર પાસેથી મ્યુઝિક કમ્પોઝ કરાવવાવાળા તમે કોણ છો?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech