રાજસ્થાનની રોયલ ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સ હવે ધાર્મિક સ્થળોની ટુર પર પણ લઈ જશે. નવી દિલ્હીથી પ્રયાગરાજ, વારાણસી થઈને અયોધ્યા જશે. ત્યાંથી મથુરા છ દિવસ પછી વૃંદાવન થઈને દિલ્હી પરત ફરશે. પેલેસ ઓન વ્હીલ્સની આ ધાર્મિક યાત્રામાં ફકત ભારતીયો જ જઈ શકશે. ટ્રેનની ધાર્મિક યાત્રા મે મહિના સુધીમાં શ થવાની શકયતા છે. ૪૨ વર્ષ બાદ ટ્રેનનો ટ બદલવામાં આવી રહ્યો છે. ટ્રેન ધાર્મિક સ્થળોની યાત્રાએ જવાની હોવાથી મુસાફરોના ફડ મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને ન તો દા પીરસવામાં આવશે અને ન તો લંચ–ડિનરમાં લસણ–ડુંગળીનું શાક મળશે. સામાન્ય મુસાફરી દરમિયાન ટ્રેનમાં નોન–વેજ અને દા પીરસવામાં આવે છે, કારણ કે તેમાં વિદેશી પ્રવાસીઓ પણ હોય છે. ૭ કરોડના ખર્ચે ટ્રેનને નવો લુક આપવામાં આવ્યો છે.
આ ટ્રેન ૨૬ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ શ કરવામાં આવી હતી. તે દિલ્હીથી જયપુર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, જોધપુર, ભરતપુર અને આગ્રા થઈને ચાલે છે. દિલ્હી પરત ફરે છે. અત્યાર સુધી આ ટ્રેન વર્ષના આઠ મહિના ચાલતી હતી. હવે તેને ૧૨ મહિના માટે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી તે બે મહિના સુધી ધાર્મિક યાત્રા કરશે.ટ્રેન મેનેજમેન્ટે મે–જૂનમાં પ્રસ્તાવિત પ્રથમ ધાર્મિક યાત્રાનો ટ પણ નક્કી કર્યેા છે. ટ્રેનની અયોધ્યાની ધાર્મિક યાત્રા દિલ્હીથી શ થશે અને અહીંથી ટ્રેન વારાણસી અને પ્રયાગરાજ થઈને અયોધ્યા પહોંચશે, ત્યારબાદ તે મથુરા–વૃંદાવન થઈને દિલ્હી પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech