રાજપૂત સમાજ દ્વારા આવતીકાલ મહારાણા પ્રતાપની જન્મજયંતિની કરાશે ભવ્ય ઉજવણી

  • May 28, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાની રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે આવતીકાલ તા.૨૯ના રોજ રાષ્ટ્રવીર હિન્દુ ધર્મ રક્ષક અને ક્ષત્રિય કુળ શીરોમણી વિર યોઘ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, શોભાયાત્રા, પ્રતિમાને પુષ્પાંજલી, સમુહ ભોજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. 


રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાશે, આવતીકાલ તા.૨૯ના રોજ સાંજે ૫ વાગ્યે વિશ્ર્વકર્મા બાગ ગાંધીનગર રોડ ખાતેથી એક વિશાળ શોભાયાત્રા નિકળશે જે શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી લાલબંગલા સર્કલ પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પૂર્ણ થશે ત્યાં સાંજે ૬:૩૦ વાગ્યે શ્રઘ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સાંજે ૭ વાગ્યે કષ્ટભંજન હનુમાનજી મંદિર હોલ નવા રેલ્વે સ્ટેશન ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોન રાજપૂત કરણી સેના મહીલા પાંખના અઘ્યક્ષ નયનાબા જાડેજા દ્વારા સમુહ ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. 


આ ઉપરાંત ક્ષત્રિય રાજપૂત ડોકટર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો.આર.ટી.જાડેજાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુરૂવાર જેઠ સુદ-૩ના રોજ મહારાણા પ્રતાપ જયંતિનો ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે જેના અનુસંધાને જામનગરમાં ડોકટર, તબીબી વિદ્યાર્થીઓ, મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી તથા સરકારી અને પ્રાઇવેટ ડોકટરો દ્વારા રાજપૂત સેવા સમાજ સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને કાલે સવારે ૭:૪૫ વાગ્યે ફુલહાર કરવામાં આવશે. તમામ ડોકટર્સ તથા અન્ય રાજપૂત સમાજના અગ્રણીઓને હાજર રહેવા જણાવાયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application