ટ્રેન આવતા પુલ પરથી કુદી જતા બનેલો બનાવ: ઓળખ મેળવવા તજવીજ
ધ્રોલના જુના ખીજડીયા ગામ પાસે ઉંડ નદીના રેલ્વેના પુલ નીચે પટકાયેલા યુવાનનું મૃત્યુ નિપજયું છે, મરનાર યુવાનની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધ્રોલના જુના ખીજડીયા ગામ પાસે પુલ નીચે પાણીમાં મૃતદેહ પડયો હોવાની વિગતો જાણવા મળતા ધ્રોલની પોલીસ ટુકડીી સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ આગળ ધપાવી હતી.
દરમ્યાનમાં વિરાણી ખીજડીયા ગામ ખાતે રહેતા ખેતી કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભા રણજીતસિંહ જાડેજાએ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તા. 2 સવારના સુમારે કોઇ અજાણ્યો પુષ આશરે 35 થી 40 વર્ષનો જુના ખીજડીયા ગામ પાસે આવેલ ઉંડ નદીના રેલ્વેના પુલ ચાલીને જતો હતો.
એ દરમ્યાન ટ્રેન આવતા પુલ પરથી કુદી જતા પાણીમાં પડી જતા ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું. આ વિગતોના આધારે ધ્રોલ પીએસઆઇ પી.જી. પનારા તપાસ ચલાવી રહયા છે, મરણજનાર અંગે પોલીસ દ્વારા ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech