ચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ

  • May 02, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મેના રોજ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અનિલ કપૂર, રજનીકાંત, રણબીર કપૂર સહિત દક્ષિણથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા શેખર કપૂરે હાજરી આપી હતી.

એઆઈ ની અસર વિશે વાત કરતા શેખર કપૂરે કહ્યું, “સાચું કહું તો,એઆઈ કોઈ રાક્ષસ નથી, આપણે તેને એક રાક્ષસ બનાવી દીધું છે. જે કામ આપણે 5 મહિનામાં કરી શકીએ છીએ, તે એઆઈ 5 મિનિટમાં કરી શકે છે. હું હંમેશા ચેટજીપીટી સાથે વાત કરું છું અને તે મારી સાથે વાત કરે છે.એઆઈ અનિશ્ચિત હોઈ શકે નહીં, કારણ કે તે ડેટા દ્વારા સંચાલિત છે, જ્યારે આપણે મનુષ્યો એવા નથી.આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો તેમની પાસે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. પણ તેના કુકએ સારી સ્ક્રિપ્ટ લખી હતી. જ્યારે તેણે તેના કુકને પૂછ્યું કે તે કેવી રીતે બનાવે છે, ત્યારે તેણે કહ્યું કે તેણે ચેટજીપીટીનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટ લખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application