પોરબંદરના છાંયાચોકી થી ભનુની ખાંભી તરફ જતા હેવી ટ્રાફિકથી વ્યસ્ત એવા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ અને પટેલ સમાજની વચ્ચેના રોડ ઉપર મસમોટા ખાડા જે છ થી આઠ ઇંચની ઊંડાઇના તંત્રની બેદરકારી અને નબળા મટીરીયલ્સને લીધે જોવા મળે છે,જેમા લોખંડના સળીયા બહાર આવી જતા જેને કારણે વાહનો ઉપરાંત આમ જનતાની જાનહાનીની દહેશત પ્રત્યક્ષ નજરે ચડે છે,તે માટે તંત્ર આંખ આડા કાન કરે છે, નક્કી કોઇ મોટી જાનહાની થવાની રાહ જોવાતી હોય તેમ લાગે છે. ક્યાંક ક્યાંક નબળા પેચવર્કમાં પણ માટી, કાંકરી અને ઉપર છલ્લી સિમેન્ટ કે આછો આછો ડામર છાંટી કામ કરવામાં આવેલ છે જે તંત્ર પણ ધ્યાને લેતું નથી એ બહુ જ શરમજનક બાબતને પ્રજા એ ક્યાં સુધી સહન કરવાનું રહેશે?તેમ જણાવ્યુ હતુ. તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech